Thursday, November 1, 2012

એક નવી સફર

શ્રી  ઈશ્વરભાઈ શંકરભાઈ પારેખ

આચાર્યશ્રી :- પ્રાથમિક શાળા, ટીંબા
તા:-ખંભાત , જી :- આણંદ.

આદરણીય સાહેબશ્રી એ આજે અમારી શાળામાં આચાર્યશ્રીનો હોદ્દો સંભાળ્યો છે .
અને તેમણે બધાને સંબોધતા કહ્યું કે મારા માટે શાળા મા પ્રત્યેક બાળક મહત્વનું રહેશે .....

શૈક્ષણિક કાર્ય સાથે ધાર્મિકતા

આજે  તા-૦૧ /૧૧/૨૦૧૨ . આજથી અમારી શાળાના પરિવારમાં અમારા વડીલ શ્રી ઈશ્વરભાઈ પારેખ સર  આચાર્ય શ્રી નો  હોદ્દો સંભાળતા   શાળામાં તેમણે  શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવી શાળાનું કામકાજ શરુ કરાવ્યું .
 અમારા ભૂતપૂર્વ આચાર્યશ્રી રમણભાઈ વાળંદ પણ આજરોજ હાજર રહી શાળાના બાળકો અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું.
 શ્રી રમણભાઈ સાહેબે બાળકોને વાર્તા કહી તેમજ ગીત ગાઈ ને મજા કરાવી હતી ... બાળકો ખુશ થઇ ગયા હતા ..
 જૂની યાદ તાજી કરાવી ....
 નવા રૂમમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા શ્રી ઈશ્વરભાઈ સાહેબે કરાવી અને પૂજા કરવા માટે શ્રી કાન્તીભાઈ સાહેબને બેસાડવામાં આવ્યા  
 ભગવાનશ્રી સત્યનારાયણ પૂજા
 નવા બનેલ આચાર્યશ્રી દ્વારા પૂજા રાખવામાં આવી તેમાં અમારા સમયકાળથી આજ સુધી નિવૃત થયેલ તમામ આચાર્યશ્રી અને શિક્ષકશ્રી હાજર રહ્યા. 
શ્રી  ઈશ્વરભાઈ સાહેબ ને પણ પૂજામાં બોલાવવામાં આવ્યા ..
 અમારા વડીલો - પૂજામાં
 ભગવાનશ્રી સત્યનારાયણની કથા સાંભળતા સૌ શિક્ષક મિત્રો
 આરતી કરતા શ્રી કાન્તીભાઈ સાહેબ
 અમારા આચાર્યશ્રી ઈશ્વરભાઈ પારેખ સાહેબ ભગવાનની આરતી કરતા નજરે પડે છે .
 આરતી -શ્રી સત્યનારાયણ ભગવાન
 અમારા વડીલ શિક્ષક શ્રી મફતભાઈ પટેલ સાહેબ આરતી કરે છે .
 ઓલ્ડ ઇઝ ગોલ્ડ :- કથામાં તમામ નિવૃત આચાર્યશ્રી અને શિક્ષક હાજર રહ્યા .
નિવૃત  આચાર્ય શ્રી ઓ :-
૧. શ્રી રમણભાઈ વાળંદ   [જમણે થી પ્રથમ ]
૨. શ્રી પુનમભાઈ સોલંકી  [ જમણેથી બીજા ]
૩. શ્રી  વિરાભાઈ સોલંકી  [જમણેથી ત્રીજા ] અને
નિવૃત આ.શિ . શ્રી
૪. શ્રી જેઠાભાઈ નાઈ [ડાબે થી પ્રથમ ]
નવી સફર :-
આજે આચાર્ય શ્રી નો હોદ્દો સંભાળતા એવા અમારા વડીલ
શ્રી ઈશ્વરભાઈ શંકરભાઈ પારેખ સાહેબ 
તેમનો એક જ ધ્યેય છે કે શાળામાં પ્રત્યેક બાળક મહત્વનું છે........