Wednesday, October 31, 2012

વિદાય વિશ્રામ અને ઋણ સ્વીકાર

 શ્રી વિરાભાઈ ભીખાભાઈ સોલંકી સાહેબ કે જેઓ આજ સુધી અમારી શાળામાં આચાર્ય શ્રી તરીકે જવાબદારી નિભાવી છે . પરંતુ આજે  વય મર્યાદાને કારણે નિવૃત થાય છે .તેમનું હવે પછીનું જીવન સુખમય પસાર થાય તેવી પ્રભુ ને પ્રાર્થના ....
 શ્રી વિરાભાઈ ભીખાભાઈ સોલંકી - વિદાય વિશ્રામ
તેમજ ઋણ સ્વીકાર
 શ્રી જેઠાભાઈ પુંજાભાઈ નાઈ  જેઓ અમારી શાળાના આસીસ્ટન્ટ શિક્ષક છે તેઓ પણ આજે વય મર્યાદાને કારણે નિવૃત થાય છે . તેમનું હવે પછીનું જીવન સુખમય પસાર થાય તેવી પ્રભુને પ્રાર્થના ..
 શ્રી જેઠાભાઈ પુંજાભાઈ નાઈ- વિદાય વિશ્રામ તેમજ
 ઋણ સ્વીકાર  
 અમારા શિક્ષક પરિવારમાંથી બે શિક્ષક વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. તેમનું અમારો શિક્ષક પરિવાર સન્માન કરે છે... અમને તેમની કામગીરી કાયમ યાદ રહેશે ...
 અમારા સાયમા પે .સેન્ટર ના આચાર્ય શ્રી કાન્તીભાઈ મકવાણા સાહેબ  [ડાબી બાજુ ] તેઓ પણ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે...
શ્રી જેઠાભાઈ નાઈ [વચ્ચે ]  આ .શિ .અને
શ્રી વિરાભાઈ સોલંકી સાહેબ [જમણી બાજુ ] અમારી શાળાના આચાર્યશ્રી છે .
આ ત્રણેય મહાનુભાવો ને અમે સન્માન કરીએ છીએ
 અમારી શાળાના આ પ્રસંગે ભોજન સમારંભનું આયોજન કરેલ જેમાં શાળાના તમામ બાળકો અને સ્ટાફ તેમજ ગ્રામજનો અને અમુક શિક્ષક મિત્રો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું....
 અમારી આ શાળાની યાદ તેમને કાયમ રહેશે ....
 હવે અમારા સાયમા પે. સેન્ટર ના નવા આચાર્યશ્રી તરકે શ્રી હરીશભાઈ મગનભાઈ નાયી સાહેબનું સ્વાગત કરતા શ્રી ઈશ્વરભાઈ પારેખ સાહેબ ...
અને અમારી શાળાના નવા  આચાર્યશ્રી નો હોદ્દો સંભાળતા એવા શ્રી ઈશ્વરભાઈ શંકરભાઈ પારેખ સાહેબનું સ્વાગત કરતા શ્રી હસમુખભાઇ અનામી

No comments:

Post a Comment